સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 26 April 2018

RTI એટલે શુ ? “માહિતિ અધિકાર અધિનિયમ ૨૦૦૫” - બનાસકાંઠા :RTI હેઠળ માહિતી નહિ આપવા બદલ તલાટી-મંત્રીને 5000નો દંડ ફટકારાયો - માહિતિ અધિકાર માર્ગદર્શિકા / RTI Guidelines in Gujarati/માહિતી મેળવવા માટેની અરજીનો નમુનો - ગુજરાતમાં જળ કટોકટીનાં એંધાણ ૧૩૫ ડેમોમાં ૨૫ ટકા ય પાણી નથી - ક્રૂડ,ગેસ અને કોલસાની કિંમતમાં મોટો વધારો થવાની વર્લ્ડ બેન્કની ચેતવણી - રાજ્યમાં સૂર્યદેવ હજુયે કોપાયમાન :આકરો ઉનાળો :સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42,3 ડિગ્રી :રાજકોટમાં 42 ડિગ્રી-અમદાવાદ-ઇડર અને અમરેલી-ભુજમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર - નોટબંધીથી લઇને નોટમંદી સુધી, સરકાર અને RBI વચ્ચે મતભેદ જારી - અમદાવાદમાં હેલ્મેટ વગર વાહન ચલાવતા લોકોને ગુલાબ સાથે '' ફ્રી'' માં હેલ્મેટ અપાયું

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Special Offer Holy Tally Mobile App


Offer Time :- 15 April 2018 & 30 April 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135



બનાસકાંઠા :RTI હેઠળ માહિતી નહિ આપવા બદલ તલાટી-મંત્રીને 5000નો દંડ ફટકારાયો 
વડગામના નાનોસણાના ઉષાબેન સોલંકીને માહિતી નહીં આપતા કાર્યવાહી વડગામ:  માહિતી કનિદૈ લાકિઅ અધિકાર કાયદા હેઠળ અરજદારને માહિતી નહિ આપવા બદલ ગુજરાત માહિતી આયોગે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ફલજી ચૌધરીને 5000નો દંડ ફટકાર્યો છે. કનિદૈ લાકિઅ આ અંગેની વિગત અકિલા મુજબ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના નાનોસણા ગામના ઉષાબેન સોંલકીએ ગ્રામ પંચાયચત પાસે માહિતી અધિકારના કાયદા અન્વયે કનિદૈ લાકિઅ માહિતી માંગતી અરજી કરી હતી પણ તલાટી કમ મંત્રી એ નિયમ સમયમાં માહિતી નહિ આપતા અકીલા અરજદારે તાલુકા વિકાસ અધિકારી (પાલનપુર)માં અપીલ કરી હતી.    કનિદૈ લાકિઅ અપીલ અધિકારીએ પણ તલાટીને માહિતી આપવા માટે હુકમ કર્યો હતો આમ છતા પણ તલાટીએ અરજદારને માહિતી આપી નહોતી. આથી, અરજદારે ગુજરાતી માહિતી આયોગ કનિદૈ લાકિઅ (ગાંધીનગર)માં અપીલ દાખલ કરી હતી. તેમણે આ અપીલ ફેબ્રુઆરી 2018માં દાખલ કરી હતી. ગુજરાત માહિતી આયોગે 28 ફેબ્રુઆરી 2018ના રોજ વચગાળાનો હુકમ કનિદૈ લાકિઅ કહ્યો હતો અને તલાટી કમ મંત્રીને વીસ દિવસમાં અરજદારને માહિતી આપવા હુકમ કર્યો હતો. આયોગનો આ હુકમ હોવા છતા તલાટીએ માહિતી આપી નહોતી. આથી, અરજદારે કનિદૈ લાકિઅ 10 એપ્રિલ, 2018ના રોજ લેખિત ફરિયાદ આયોગને કરી હતી.    સુનાવણી દરમિયાન ગુજરાતી માહિતી આયોગે નોંધ્યુ કે, પક્ષકારોની રજુઆત અને ઉપલબ્ધ કનિદૈ લાકિઅ કાગળોના આધારે આયોગનું નિરીક્ષણ છે કે, નાનોસણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અરજદારને માંગ્યા મુજબની માહિતી આયોગનો વચગાળાનો હુકમ છતા પુરી પાડેલી નથી.    માહિતી અધિકાર અધિનિયમનો કલમ-20 હેઠળ સમયમર્યાદામા માહિતી પુરી પાડવામાં ન આવે તો જાહેર માહિતી અધિકારી વિરુદ્ધ દંડનીય પગલા લેવાની જોગવાઇ છે. આયોગ જાહેર માહિતી અને તલાટી કમ મંત્રીને સમય મર્યાદામાં માહિતી પુરી ન પાડવા બદલ માહિતી અધિકાર અધિનિયમની કલમ-20 હેઠળ દોષિત માને છે અને રૂપિયા 5,000નો દંડ કરે છે. માહિતી આયોગે હુકમ કરતા કહ્યુ કે, આ દંડની રકમ તલાટીની ભંડોળમાંથી ભરપાઇ કરવાની રહેશે અથવા તો તેમના પગારમાંથી કપાત કરી ભરપાઇ 500કરવાની રહે શે. આ દંડની રકમ ભરપાઇ કર્યાની પહોંચની ચલણની રકમ દિન-30માં આયોગને મોકલી આપવાની રહેશે. (9:12 pm IST)


Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/27-04-2018/76565

RTI એટલે શુ ?


“માહિતિ અધિકાર અધિનિયમ ૨૦૦૫”
પ્રત્યેક જાહેર સત્તામંડળના કામકાજમાં પારદર્શિતા અને જવાબદારીને ઉત્તેજન આપવાના હેતુથી જાહેર સત્તામંડળો ના નિયંત્રણ હેઠળની માહિતી નાગરિકો મેળવી શકે તેવા માહિતીના અધિકારનાં વ્યવહારુ તંત્રની રચના કરવા કેન્દ્રીય માહિતી પંચ અને રાજ્ય માહિતી પંચો અને તેની સાથે સંકળાયેલી અથવા તેને આનુષંગિક બાબતો માટેની જોગવાઇ કરવા બાબતનો અધિનિયમ.
ભારતના સંવિધાને લોકશાહી ગણરાજ્યની સ્થાપના કરેલ છે. લોકશાહીમાં લોકો એટલે કે નાગરીકો સર્વોપરી છે. તેમના દ્વારા દેશની સર્વોચ્ચ સંસ્થા ‘સંસદ’ની રચના થઇ. સરકાર દ્વારા કે વતીથી થતાં તમામ જાહેર કાર્યો માટે જાહેર નાણાં ખર્ચાય છે. નીતીઓ અને કાયદાઓ ઘડાયા પછી તેનો અમલ કરવાની જવબદારી જાહેર સંસ્થાઓની છે. આ જાહેર સંસ્થાઓ કેવી રીતે કામ કરે છે ? શું કામ કરે છે ? તેમાં કેટલા નાણાં કેવી રીતે ખર્ચાયા ? તે જાણવાનો દેશના તમામ નાગરીકોને અધિકાર છે. નાગરીકોનો જાણવાનો અધિકાર “માહિતી અધિકારનો કાયદો ૨૦૦૫” દ્વારા નિશ્ચિત થાય છે. આ કાયદો તમામ નાગરીકોને માહિતી મેળવવાનો અધિકાર આપે છે. માહિતી અધિકારના ઉપયોગ દ્વારા લોકશાહી મજબૂત અને અર્થપૂર્ણ બનશે,
જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.
માહિતી મેળવવા અરજી કેવી રીતે લખશો ?
માહિતી અધિકારના કાયદા મુજબ “માહિતી” એટલે કોઇપણ સામગ્રી તે કોઇપણ સ્વરૂપમાં હોય. રેકર્ડ, દસ્તાવેજ, મેમો, ઇમેઇલ, અભિપ્રાય, સલાહ, પ્રેસરીલીઝ, પરિપત્રો, હુકમો, લોગબુક, કરાર, અહેવાલ, કાગળ, નમૂના, પ્રતિકૃતિઓ, ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સંગ્રહાયેલી ડેટા મટીરીયલ અને કોઇપણ પ્રાઇવેટ બોડી અંગેની જાહેર સત્તમંડળની પહોંચમાં આવતી માહિતી.
માહિતીના અધિકારમાં સરકાર પાસેથી તથા તેની પહોંચમાં હોય તેવી તમામ માહિતી ઉપરોંત તેને સંલગ્ન તમામ રેકર્ડ અને દસ્તાવેજો તથા સરકારી કામોની તપાસણી કરવાનો તેની નોંધ લેવાનો, કે તેનો કોઇ ભાગ કે દસ્તાવેજ, રેકર્ડની પ્રમાણિત નકલ મેળવવાનો સમાવેશ થાય છે.
આ કાયદા હેઠળ માહિતી મેળવવા ઇચ્છતા નાગરિકને જો અરજી લખવામાં મુશ્કેલી હોય તો કાયદાની કલમ ૬ (૧)ખ મુજબ અરજદારની મૌખિક વિનંતીને લેખિત સ્વરૂપમાં રજુ કરવા જાહેર માહિતી અધિકારી તમામ જરૂરી સહાય કરશે.
અરજી કોરા કાગળ પર લખી શકાય, છાપેલા ફોર્મમાં આપવી જરૂરી નથી.
અરજીમાં તમે જરૂરી માહિતી ટૂંકમાં માગો, તમારે જે હેતુ કે કામ અંગે માહિતી જોઇએ છે તે અંગે વિગતવાર ફરિયાદ લખવાની જરૂર નથી. તેમ કરવાથી આપને જરૂરી માહિતી મેળવવામાં વિલંબ થઇ શકે છે, અથવા સ્પષ્ટતા ના અભાવે આપને બીનજરૂરી માહિતી મળે તેવું બને.
અરજીમાં શું લખશો ? ( અરજી નો નમૂનો વિકલ્પ પર ક્લીક કરો )
જાહેર માહિતી અધિકારી , તેના ખાતા, વિભાગ કે કચેરીનું નામ તથા સરનામું લખો.
અરજદારનું નામ તથા પત્રવ્યવહારનું સરનામું
તમારે મેળવવાની માહિતીની મુદ્દાસર ટૂંકી વિગત
તમે ભરેલી અરજી ફીની વિગત. જો તમે બી.પી.એલ. કુટુંબના સભ્ય હોવ તો બી.પી.એલ કાર્ડના મુખ્ય તથા કુટુંબના સભ્યોના નામ લખેલા પાનાની સ્વ-પ્રમાણિત ફોટોકોપી અરજી સાથે જોડો અને તેની નોંધ અરજીમાં બિડાણ તરીકે કરો
તમે માહિતી, માહિતી અધિકાર ના કાયદા હેઠળ માંગો છો તેવું સ્પષ્ટ લખો.
તમારી અરજી લખતી વખતે સૌથી ઉપર મથાળે અથવા અરજી પૂરેપૂરી લખ્યા પછી નીચે અરજી કર્યા તારીખ લખવાનું ભૂલશો નહીં.
અરજી ફી કયા સ્વરૂપે ભરવી તે નક્કી કરવાનો અધિકાર નાગરીકને છે.
જાહેર માહિતી અધિકારીએ અરજી અને ફીની રકમ સ્વીકર્યા બાદ તે અંગેની પહોંચ અરજદારને આપવાની રહેછે, તેથી પહોંચ મેળવવાનું ભુલશો નહી.
માહિતી અધિકારનો કાયદો તથા આ કાયદા હેઠળ રાજ્ય સરકારે બનાવેલા નિયમો મુજબ અરજી નિયત નમૂનામાં કરવી ફરજિયાત નથી. માહિતી મેળવવા માટેની અરજી કોરા કાગળ પર હસ્તલેખિત સ્વરૂપે અથવા ઇ-મેઇલ દ્વારા પણ કરી શકાય છે. ઇ-મેઇલ દ્વારા કરેલી અરજી માટે ભરવાની થતી ફીની રકમ અરજી કર્યા તારીખથી સાત દિવસમાં ભરવાની રહે છે. તેમ કરવામાં ચૂક થયેથી અરજી પાછી ખેંચી લીધેલી ગણાશે.
માહિતી અધિકારનો કાયદો તથા આ કાયદા હેઠળ રાજ્ય સરકારે બનાવેલા નિયમો મુજબ અરજી નિયત નમૂનામાં કરવી ફરજિયાત નથી. માહિતી મેળવવા માટેની અરજી કોરા કાગળ પર હસ્તલેખિત સ્વરૂપે અથવા ઇ-મેઇલ દ્વારા પણ કરી શકાય છે. ઇ-મેઇલ દ્વારા કરેલી અરજી માટે ભરવાની થતી ફીની રકમ અરજી કર્યા તારીખથી સાત દિવસમાં ભરવાની રહે છે. તેમ કરવામાં ચૂક થયેથી અરજી પાછી ખેંચી લીધેલી ગણાશે.
અરજી કોને આપશો ?
માહિતી મેળવવા માટે તૈયાર કરેલી અરજી નજીકના કોઇપણ જાહેર માહિતી અધિકારીને આપી શકાય.
આપની અરજી જે વિભાગને લગતી હોય તે વિભાગના જાહેર માહિતી અધિકારીને આપવાથી આપનો અને જાહેર માહિતી અધિકારીનો સમય બચશે, પરિણામે આપને માહિતી ઝડપી મળશે.
કાયદા અનુસાર જાહેર માહિતી અધિકારીએ તેમની સામે રજુ થયેલી કોઇપણ ખાતાને લગતી માહિતી માંગતી અરજી સ્વિકારવાની રહે છે. જો તે અરજીમાં માંગવામાં આવેલી માહિતી અન્ય સત્તામંડળ, વિભાગ, કચેરી કે ખાતાને લગતી હશે તો કાયદાની કલમ ૬(૩) મુજબ અરજી પૂરેપૂરી કે આંશિક રીતે લાગતા વળગતા ખાતાને ટ્રાન્સફર કરશે અને તેની લેખિત જાણ અરજદારને કરશે.
અરજી જાહેર માહિતી અધિકારીને આપતી વખતે કેન્દ્ર સરકારના કિસ્સમાં રૂl. ૧૦ અને રાજ્ય સરકારમાં રજુ થયેલી અરજી માટે રૂl. ૨૦ અરજી ફી ( બી.પી.એલ કુટુંબ ના સભ્ય સિવયના અરજદારોએ) ભરવાની રહેછે. કેન્દ્ર સરકારને રજુ કરવાની અરજી નક્કી કરેલી પોષ્ટઓફિસોમાં પણ ફી સાથે આપી શકાય છે.
રાજ્ય સરકારને કરવામાં આવેલી અરજી માટે અરજી ફી નિયમો પ્રમાણે રોકડેથી, ડીમાન્ડ દ્રાફ્ટ, પે ઓર્ડર કે નોન જ્યુડીશ્યલ સ્ટેમ્પ અરજી પર ચાંટાડી ચૂકવી શકાશે. કેન્દ્ર સરકારને કરેલી અરજી માટે નિયમો પ્રમાણે અરજી ફી રોકડેથી, ડીમાન્ડ દ્રાફ્ટ, રોકડેથી,બેંકર્સ ચેક કે પોસ્ટલ ઓર્ડર દ્વારા ચૂકવી શકાય છે.
રાજ્ય સરકારને કરવામાં આવેલી અરજી એટલે રાજ્ય સરકારની કોઇપણ કચેરી અને કેન્દ્ર સરકારને કરેલી અરજી એટલે કેન્દ્ર સરકારની કોઇ પણ કચેરી.
(અહીં રાજ્ય સરકાર એટલે ગાંધીનગર અને કેન્દ્ર સરકાર એટલે દિલ્હી એમ ન સમજવું)
જાહેર માહિતી અધિકારી કોઇપણ કારણસર અરજી કે ફી સ્વિકારવાની ના પાડી શકે નહી, અને જો અરજી કે ફી સ્વિકારવાની ના પાડે તો માહિતી અધિકાર ના કાયદા હેઠળ અરજદારને માહિતી નકારી છે તમ ગણાય, અને આવા કિસ્સામાં નાગરિક માહિતી આયોગને સીધી ફરિયાદ કરી શકે છે.
અરજી કર્યા પછી શું ?
જાહેર માહિતી અધિકારી ને અરજી મળ્યા પછી તે ચકાસશે કે અરજી ફી જમા થઇ છે કે નહીં ? અને જો ફી ભરપાઇ થયેલ હશે તો માહિતી અધિકાર ગુજરાત નિયમો-૨૦૦૫ની કલમ ૩(૧) મુજબ જાહેર માહિતી અધિકારી અરજી મળ્યા અંગે ની પહાંચ પાઠવશે અને સાથે અરજદાર પાસે રેકર્ડ નિરિક્ષણ અંગે તારીખ ની માગણી કરશે.
બી.પી.એલ કુટુંબના અરજદારને માહિતી માટે કોઇ ચાર્જ ભરવાનો થતો નથી. આ માટે અરજી સાથે બી.પી.એલ કાર્ડ અથવા દાખલાની નકલ જોડવાની રહે છે.
જો તમે અરજી સાથે ફી નહીં ભરી હોય તો જાહેર માહિતી અધિકારી નિયમ ૩(૨) પ્રમાણે તમને ફી ભરવા જાણ કરશે.
તમે માંગેલ માહિતી એકત્ર કરી, તે માટે તમારે ભરવાની થતી રકમની તમને લેખિતમાં જાણ કરશે. અને જો તમે રેકર્ડ નિરિક્ષણની માગણી કરેલ હશે તો તમારા દ્વારા રેકર્ડ નિરિક્ષણ કર્યા બાદ તમે માગશો તેટલી માહિતી અંગેની ફી ભરવા લેખિતમાં જાણ કરશે.
તમે માંગેલી માહિતે જો તમને ૩૦ દિવસ પછી પૂરી પાડવામાં આવેતો કાયદાની કલમ ૭(૬) મુજબ તે વિનામૂલ્યે પૂરી પાડવાની રહે છે.
જો તમે માંગેલી માહિતી વ્યક્તિના જીવન અને સ્વાતંત્રને લગતી હોય તો ૪૮ કલાકમાં પૂરી પાડવાની કાયદાની કલમ ૭(૧) માં જોગવાઇ છે.
કાયદાની કલમ ૮ માં આ કાયદા હેઠળ જાહેર કરવામાંથી મુક્તિ આપવામાં આવી હોય તેવી બાબતોની યાદી આપવામાં આવી છે.
જાહેર કરવામાંથી મુક્તિ આપવામાં આવી હોય તેમ છતાંય ભ્રષ્ટાચાર, માનવ અધિકારોના ભંગ અને વ્યાપક જાહેર હિત બાબતની માહિતી માંગવામાં આવેથી પૂરી પાડવાની રહે છે.
જાહેર માહિતી અધિકારીને ખાતરી થાય કે વિશાળ જાહેર હિતમાં માંગવામાં આવેલી માહિતી પૂરી પાડવી જરૂરી છે, તો જાહેર માહિતી અધિકારી તે માહિતી પૂરી પાડશે.
આ કલમને અંતે ખાસ જોગવાઇ કરવામાં આવી છે કે, જે માહિતીનો રાજ્યની વિધાનસભાના સભ્ય કે સંસદસભ્યને ઇનકાર ના કરી શકાય તેવી માહિતી નો કોઇપણ નાગરીકને ઇનકાર કરી શકાશે નહીં
ત્રીસ દિવસમાં માહિતી ના મળે કે વધુ ફી માંગવામાં આવે તો શું કરવું ?
ત્રીસ દિવસમાં માહિતી ના મળે તો, તમે જે તે વિભાગના અપીલ સત્તાધિકારીને અપીલ કરી શકો છો.
(જાહેર માહિતી અધિકારીઓ અને અપીલ અધિકારીઓ ની નિમણુંક અંગે નું ટેબલ વિકલ્પ પર ક્લીક કરો)
અધૂરી, ખોટી કે ગેરમાર્ગે દોરતી માહિતી મળે કે તે માટે ભરવાની રકમ અપ્રમાણસર કે નિયમ વિરુદ્ધ લાગે તો રાજ્ય માહિતી આયોગને કાયદાની કલમ ૧૮(૧)(૨) હેઠળ સીધી ફરિયાદ કરી શકાય છે.
જાહેર માહિતી અધિકારી પાસેથી તે વિભાગના અપીલ સત્તાધિકારી કોણ છે ? તેની વિગત અને સરનામું નિર્ણય ની સાથે ફરજિયાત પણે લેખિત માં મેળવી શકાય છે.
જાહેર માહિતી અધિકારીના નિર્ણયથી નારાજ વ્યક્તિ, અથવા ત્રીસ દિવસમાં કોઇ નિર્ણય ના મળ્યો હોય, તે સંજોગોમાં તે પછીના ત્રીસ દિવસની અંદર આ કાયદા હેઠળ નિમાયેલા અપીલ સત્તાધિકારીને પ્રથમ અપીલ કરી શકશે.
અપીલ માટે કોઇ ફી ભરવાની નથી.
અપીલ સાદા કાગળ પર લખવાની રહે છે, તેમાં
 
અપીલ સત્તાધિકારી, વિભાગ/કચેરીનું નામ:
અપીલ કરનારનું નામ અને સરનામું:
જાહેર માહિતી અધિકારી, વિભાગ અને સરનામું:
જે નિર્ણય સામે અપીલ કરી હોય તેની ટૂંકી વિગત, હુકમ / નિર્ણયની તારીખ અને ક્રમાંક:
માહિતી માંગતી અરજી કર્યાની તારીખ:
માંગવામાં આવેલી માહિતીની વિગત:
માહિતી માંગતી અરજીને ત્રીસ દિવસ પૂરા થતા હોય તે તારીખ:
અપીલ માટેના કારણો:
જેના માટે વિનંતી કરી હોય તે દાદની વિગત:
૧૦ખરાઇ: હું આથી જણાવું છું કે ઉપર આપેલી માહિતી અને વિગતો મારી જાણ અને માનવા મુજબ સાચી છે.
 
સ્થળ:અપીલ કરનારનું નામ:
તારીખ:સહી:
 સરનામું:
 પ્રથમ અપીલ નો નિકાલ સામાન્ય રીતે ૩૦ દિવસમાં અને વધુમાં વધુ ૪૫ દિવસમાં અપીલ સત્તાધિકારી કરશે.
 નિર્ણય ના મળવા બાબતે કે મળેલા હુકમથી નારાજ વ્યક્તિ રાજ્ય માહિતી આયોગને ૯૦ દિવસમાં બીજી અપીલ કરી શકે છે.
માહિતી અધિકારના અમલને સુદઢ બનાવવા તેમજ તેના ભંગ બદલ ધ્યાન દોરવા અને યોગ્ય પગલાં લેવા રાજ્યના મુખ્ય માહિતી આયોગને કાયદાની કલમ ૧૮ અને ૧૯ હેઠળ ફરિયાદ અને અપીલ કરી શકાય છે.
કાયદા નો ભંગ ક્યારે થયો ગણાય ?
કોઇ વિભાગ કે કચેરીમાં જાહેર માહિતી અધિકારી અને અપીલ સત્તાધિકારીની નિમણૂંક કરવામાં આવી ના હોય.
પ્રોએક્ટીવ ડિસ્ક્લોઝર તૈયાર ના હોય,
જાહેર માહિતી અધિકારી અરજી કે ફી સ્વીકારવાની ના પાડે,
અરજી રજુ કર્યાના ત્રીસ દિવસમાં માહિતી પૂરી પાડવામાં ના આવે,
અરજદારે માંગેલી માહિતીનો નાશ કરવામાં આવે, ઇરાદાપૂર્વક ખોટી, અધૂરી કે ગેરમાર્ગે દોરે તેવી માહિતી પૂરી પાડવામાં આવે.
અપ્રમાણસર ફી માંગવામાં કે વસુલ કરવામાં આવે.
કાયદાના ભંગ બાબતે
પ્રથમ અપીલ સત્તાધિકારી અપીલ સાંભળી જાહેર માહિતી અધિકારીને માહિતી પૂરી પાડવા હુકમ કરી શકે છે.
કાયદાની કલમ ૧૯(૫) મુજબ અપીલ અને ફરિયાદની સુનાવણી દરમ્યાન માહિતી નકારવાનું/પૂરી ના પાડવાનું વ્યાજબીપણું સાબિત કરવાની જવાબદારી જાહેર માહિતી અધિકારીની છે.
રાજ્ય માહિતી આયોગ, માહિતી નકારવા બદલ જાહેર માહિતી અધિકારીને, માંગવામાં આવેલી માહિતી અરજદારને પૂરી પાડવામાં ના આવે ત્યાં સુધી પ્રતિદિન રૂl. ૨૫૦, અને વધુમાં વધુ રૂl. ૨૫૦૦૦ ની મર્યાદામાં દંડ કરી તે વસુલ કરવાનો હુકમ કરી શકે છે.
અરજદારને જરૂરી માહિતી પૂરી ન પાડવાનો તથા ખોટી, અધૂરી કે ગેરમાર્ગે દોરતી માહિતી આપવા બદલ અરજદારને થયેલ નુકશાન અંગે વળતર ચૂકવવાનો આદેશ કરી શકે છે.
જાણીબૂઝીને ખોટી, અધૂરી કે ગેરમાર્ગે દોરનારી માહિતી આપવા બદલ કે માંગેલી માહિતીનો ઇરાદાપૂર્વક નાશ કરવા બદલ દંડ ઉપરાંત જાહેર માહિતી અધિકારી વિરુદ્ધ સરકારી કર્મચારીઓને લાગુ પડતા સેવા નિયમો હેઠળ શિસ્ત ભંગના પગલાં લેવા સરકારને રાજ્ય માહિતી આયોગ ભલામણ કરી શકે છે.
જાણીબૂઝીને ખોટી, અધૂરી કે ગેરમાર્ગે દોરનારી માહિતી આપવા બદલ કે માંગેલી માહિતીનો ઇરાદાપૂર્વક નાશ કરવા બદલ દંડ ઉપરાંત જાહેર માહિતી અધિકારી વિરુદ્ધ સરકારી કર્મચારીઓને લાગુ પડતા સેવા નિયમો હેઠળ શિસ્ત ભંગના પગલાં લેવા સરકારને રાજ્ય માહિતી આયોગ ભલામણ કરી શકે છે.
સામેથી જાહેર કરવાની વિગતો
કાયદાની કલમ-૪(૧) મુજબ દરેક સત્તામંડળે આ માહિતી સામેથી જાહેર કરવાની છે.
માહિતી અધિકારનો કાયદો – ૨૦૦૫ અનુસાર દરેક જાહેર સત્તામંડળે નીચે મુજબની માહિતી સામે ચાલીને જાહેર કરવાની રહે છે. આ માહિતીને કાયદામાં “પ્રોએક્ટીવ ડીસ્ક્લોઝર” કહેવામાં આવે છે.
પોતાના વ્યવસ્થાતંત્ર, કાર્યો અને ફરજોની વિગતો;
અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો;
દેખરેખ અને જવાબદારીના માધ્યમ સહિત નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યરીતિ;
પોતાના કાર્યો બજાવવા માટે નક્કી કરેલા ધોરણો;
કાર્યો બજાવવા માટે પોતાની પાસેના અથવા નિયંત્રણ હેઠળના કે કર્મચારીઓ દ્વારા અનુસરવામાં આવતા નિયમો, વિનિયમો, સૂચનાઓ, નિયમસંગ્રહો અને તે સંબંધી રેકર્ડ;
પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોની કક્ષા અને વર્ગીકરણનું પત્રક;
વિભાગ કે સત્તામંડળે અનુસરવાની નીતિ અથવા તેના અમલીકરણ સંબંધમાં નાગરિકો સાથે વિચારવિનિમય માટે અથવા તેમના દ્વારા રજૂઆત માટેની વિદ્યમાન ગોઠવણની વિગતો;
તેના ભાગ તરીકે અથવા તેની સલાહના હેતુ માટે બે અથવા તેથી વધુ વ્યક્તિઓના બનેલા બોર્ડ, કાઉન્સિલ, સમિતિ અને બીજા મંડળોની બેઠકો લોકો માટે ખુલ્લી છે કે કેમ અથવા તેવી બેઠકોની કાર્યનોંધો લોકોને મળવા પાત્ર છે કે કેમ;
તેના અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી;
૧૦તેના વિનિયમોમાં જોગવાઇ કર્યા પ્રમાણે વળતરની પદ્ધતિ સહિત તેના દરેક અધિકારીઓ અને કર્મચારીઓને મળતાં માસિક મળતરની વિગતો;
૧૧તમામ યોજનાઓ, સૂચિત ખર્ચ અને કરેલી વહેંચણી પરના અહેવાલોની વિગતો દર્શાવતી તથા તે દરેક એજન્સીને ફાળવેલા નાણાંકીય સંસાધનોની વિગતો
૧૨ફાળવેલી રકમો અને તેવા કાર્યક્રમોના લાભાર્થીઓની વિગતો સહિત આર્થિક સહાય કાર્યક્રમોની અમલબજવણીની રીત
૧૩છૂટછાટો, પરવાનગીઓ અથવા અધિકૃતિઓ મેળવનારાની વિગતો;
૧૪ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ઉપલબ્ધ અથવા ધરાવેલી માહિતીને લગતી વિગતો;
૧૫જાહેર ઉપયોગ માટે નિભાવવામાં આવતા હોય તેવા ગ્રંથાલય અથવા તેવા વાંચનાલયના કામકાજના કલાકો સહિતની માહિતી તથા તે મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો;
૧૬જાહેર માહિતી અધિકારીઓના નામો, હોદ્દાઓ અને બીજી વિગતો;
૧૭ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી;
આ માહિતી મેળવવા અરજદારે અરજી ફી ભરવાની કે ૩૦ દિવસ રાહ જોવાની જરૂર નથી.
આ પ્રકારની માહિતી, કાયદાની કલમ ૪(૪) મુજબ ફક્ત નકલ ફી (ફોટોકોપી ના ખરેખર થયેલા ખર્ચની રકમ) ભરી નાગરિક તરત મેળવી શકે છે.
કાયદાનુસાર જણાવેલા ૧૭ પ્રકારની માહિતી જો જાહેર સત્તામંડળ પાસે મેન્યુઅલના સ્વરૂપમાં ઉપલબ્ધ ના હોય તો તે જાહેર માહિતી અધિકારી દ્વારા માહિતી નકારવાનો ગુન્હો બને છે.
જરૂરી માહિતી માંગવાની અરજી કરતાં પહેલાં એટલું ચકાસી લો કે, તે માહિતી પ્રોએક્ટીવ ડિસ્ક્લોઝરની કક્ષામાં આવતી માહિતી તો નથી ને ? જો તેમ હોય તો તમારે રૂl. ૨૦ ફી ભરવાની કે ૩૦ દિવસ રાહ જોવાની જરૂર નથી. આવી માહિતી તમે જાહેર માહિતી અધિકારી પાસે જોઇ શકો છો, તેના ઉતારા કરી શકો છો અને જરૂર જણાય તો નકલ પણ માંગી શકો છો.
ખાસ નોંધ: કોઇપણ તબક્કે તમને એવું લાગે કે તમારા માહિતીના અધિકારને કોઇપણ રીતે અવરોધવામાં આવી રહ્યો છે, કે અરજી પાછી ખેંચી લેવા દબાણ કરવામાં આવી રહ્યું છે તો તમે રાજ્યના મુખ્ય માહિતી કમિશ્નરને કાયદાની કલમ ૧૮(૧) (૨) મુજબ સીધી ફરિયાદ કરી શકો છો.
“માહિતિ અધિકાર અધિનિયમ ૨૦૦૫” વિશે વધુ જાણકારી આ પેજ ઉપર દર્શાવેલી વેબસાઇટ જોઇ મેળવી શકશો.
ગુજરાત સરકાર માટે : 
ગુજરાત માહિતી આયોગ માટે: 
સરદાર પટેલ રાજ્ય વહીવટ સંસ્થા અમદાવાદ: 
ભારત સરકાર માટે: 
કેન્દ્રિય માહિતી આયોગ માટે: 

Source :-http://www.righttoinformationgujarat.org/aboutrti.asp


“અમારા વિશે”
“માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫” નો રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર ની જુદી જુદી કચેરીઓ માં અસરકારક અમલ કરનાર અને કરાવવામાં પ્રયત્નશિલ વ્યક્તિઓ, જુદી જુદી સરકારી કચેરીઓમાં આ કાયદાની સમજણ અંગે સ્વૈચ્છિક ધોરણે તાલીમ આપનારા અને સરકારશ્રી માં થી નિવૃત્ત થયેલા સેવાભાવિ કર્મચારીઓ તેમજ જાહેર જીવનમાંથી લોકકલ્યાણની પ્રબળ ઇચ્છાવૃત્તિ ધરાવતા વ્યક્તિઓના સાથ સહકારથી આ વેબસાઇટ નો પ્રારંભ કરવામાં આવેલ છે.
અમારા આ પ્રયાસ દ્વારા “માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫” વિશે લોકજાગૃતિ કેળવાય અને નાગરિકો વધુમાં વધુ આ કાયદા નો ઉપયોગ કરે અને લોકશાહીને મજબૂત કરવામાં આ કાયદાના ઉપયોગ દ્વારા પોતાનું યોગદાન આપે તે હેતુથી અમો એ સરળ શબ્દ પ્રયોગ કરી ગુજરાતી ભાષામાં સૌપ્રથમ આ વેબ સાઇટ શરૂ કરેલ છે.
આ વેબસાઇટ મારફતે કોઇપણ નાગરિક ઇ-મેઇલ કરી માર્ગદર્શન મેળવી શકે છે. અને માર્ગદર્શન મેળવવા માટે કોઇ ફી વસુલ કરવામાં આવતી નથી. તેમજ કોઇપણ નાગરિક પોતાનો પ્રતિભાવ આપી શકે છે.
અમો આથી નાગરિકોને વિનંતિ કરીએ છીએ કે અમારી આ વેબસાઇટ ની લીંકwww.righttoinformationgujarat.org ને ઇ-મેઇલ કે SMS દ્વારા આપના મિત્ર વર્તુળમાં બહોળા પ્રચાર અર્થે મોકલાવો. અને આ વેબસાઇટ ના હોમ પેજ પર આપેલ સરકારશ્રી પાસે આ માહિતી માગો વિકલ્પ પર ક્લીક કરો, અમો આ વિકલ્પ પર અવાર-નવાર સરકારશ્રી પાસેથી માહિતી મેળવવા અંગે ના અસરકારક મુદ્દાઓ જણાવીશું અને એવા મુદ્દાઓ સંદર્ભની માહિતી માંગવાથી ચોક્કસથી હકારાત્મક પરિણામો મળશે તેમજ નાગરિકોના નાણાં નો બચાવ થશે.
જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.

Source :-http://www.righttoinformationgujarat.org/aboutus.asp


માહિતિ અધિકાર માર્ગદર્શિકા / RTI Guidelines in Gujarati


Source :-https://www.scribd.com/doc/42903002/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%85%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%97%E0%AA%A6%E0%AA%B0-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE-RTI-Guidelines-in-Gujarati


માહિતી મેળવવા માટેની અરજીનો નમુનો


Source :-https://patan.gujarat.gov.in/rti-arji-namuno

ગુજરાતમાં જળ કટોકટીનાં એંધાણ ૧૩૫ ડેમોમાં ૨૫ ટકા ય પાણી નથી 
- જો ચોમાસુ લંબાય તો લોકોને પાણી માટે વલખાં મારવા પડશે - ૨૦૩ ડેમોમાં હવે ૩૨ ટકા પાણી બચ્યું છે,૬૦ ડેમો તો સૂકાઇ ગયા, કચ્છ-સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કફોડી સ્થિત અમદાવાદ, તા.26 એપ્રિલ, 2018, ગુરૂવાર ગુજરાતભરમાં ભરઉનાળે ચારેકોર પાણીના પોકાર ઉઠયા છે. શહેરોમાં ટેન્કરથી પાણી આપવુ પડે છે તો,ગામડાઓમાં લોકોને પીવાના પાણી માટે દુરદુર સુધી લાંબા થવુ પડે છે. આ પરિસ્થિતીમાં ગુજરાતના ડેમોમાં પાણીની સપાટી દિનપ્રતિદીન ઘટી રહી છે જેના લીધે ૧૩૫ ડેમોમાં ૨૫ ટકા કરતાંય ઓછુ પાણી રહ્યુ છે.આ જોતાં આગામી દિવસોમાં જળસંકટ ઘેરુ બને તેવા એંધાણ સર્જાયા છે. ૧૫મી જૂનથી ગુજરાતમાં વરસાદના આગમનના એંધાણ છે. ચોમાસાને આડે હવે ૫૦ દિવસ બાકી રહ્યાં છે. બીજી તરફ,ડેમોમાં પાણીનો જથ્થો ઘટી રહ્યો છે. જો ઝડપથી ડેમોમાં પાણીની સપાટી ઘટશે તો,આગામી દિવસોમાં જળ કટોકટી સર્જાય તેમ છે. કચ્છ અને સૌરાષ્ટ્રની પરસ્થિતી ઘણી જ કફોડી બની છ.કચ્છના ૨૦ ડેમોમાં તો હવે માત્ર ૧૫.૮૭ ટકા જ પાણી છે. સૌરાષ્ટ્રમાં ૧૩૮ ડેમોમાં ૨૧.૫૮ ટકા જ પાણી બચ્યુ છે. દક્ષિણ ગુજરાતના ડેમોમાં ય ૩૫.૩૮ ટકા પાણીનો સંગ્રહ છે.માત્રને માત્ર મધ્ય ગુજરાતમાં ડેમોમાં ૫૩.૦૭ ટકા પાણી સંગ્રહાયેલુ છે. નર્મદા ડેમમાં ય ૩૨ ટકા જ પાણી રહ્યુ છે. ઉત્તર ગુજરાતના ડેમોમાં ૩૨.૬૩ ટકા પાણીનો જથ્થો બાકી રહ્યો છે. આજે રાજ્યના ૨૦૩ ડેમોમાંથી ૧૩૫ ડેમોમાં એવા છેકે,જેમાં ૨૫ ટકાથી ય ઓછુ પાણી રહ્યુ છે. ૬૦ ડેમો તો સૂકાઇ જતાં સપાટ મેદાનોમાં પરિવર્તિત થયાં છે. ૯૬ ડેમોમાં તો એવાં છે કે,જયાં માત્ર ૧૦ ટકા જ પાણી રહ્યુ છે. ચોમાસાના આગમન પહેલાં જ ડેમો ખાલી થઇ જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જો ચોમાસુ લંબાય તો રાજ્યમાં પાણીની ભયંકર કટોકટી સર્જાઇ શકે છે તેમાં ય ગામડાઓમાં લોકોને પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે. પાણીની તંગી વચ્ચે પાણી વિતરણ વ્યવસ્થા યોગ્ય રીતે નહી કરાય તો, પાણીની મુશ્કેલી ભાજપ સરકાર માટે ય મુસિબત ઉભી કરી શકે છે

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/in-gujarat-there-are-25-water-in-the-135-dams-in-the-water-crisis

ક્રૂડ,ગેસ અને કોલસાની કિંમતમાં મોટો વધારો થવાની વર્લ્ડ બેન્કની ચેતવણી 
૨૦૧૮માં ઓઈલની સરેરાશ કિંમત ૬૫ ડોલર પ્રતિ બેરલ રહેશે રાજકોટ, તા.૨૭ : વર્લ્ડ બેન્કે કનિદૈ લાકિઅ જાહેર કર્યું છે કે આ વર્ષે એનર્જી સેકટર સાથે જોડાયેલી કોમોડિટીઝની કિંમતો ૨૦ ટકા સુધી વધી શકે છે. અહેવાલમાં જણાવ્યા મુજબ તેલ, કુદરતી કનિદૈ લાકિઅ ગેસ અને કોલસાના અકિલા ભાવમાં મોટો વધારો થઇ શકે છે. ભારત તેની વધુ અસર પડી શકે છે, કારણ કે ભારત પોતાની જરૂરીયાતના ૮૦ ટકા જેટલું ક્રુડ ઓઇલ આયાત કનિદૈ લાકિઅ કરે છે. આ અગાઉ વર્લ્ડ બેન્કે ઓકટોબર ૨૦૧૭માં કિંમતમાં ૪ ટકા તેજીનું અનુમાન અકીલા આપ્યું હતું. તેની તુલનામાં હાલનું અનુમાન ૧૬ ટકા વધારે કનિદૈ લાકિઅ છે. ૨૦૧૮ અને ૨૦૧૯માં ઓઇલની સરેરાશ કિંમત ૬૫ ડોલર પ્રતિ બેરલ રહેવાનું અનુમાન છે, જે ૨૦૧૭ માટે ૫૩ ડોલરનું હતું. માંગ વધવાથી અને સપ્લાયમાં કનિદૈ લાકિઅ ઘટાડાની શંકાથી વર્લ્ડ બેન્કે આ વર્ષે અનુમાન વધાર્યું છે. (9:50 am IST)
Source :-https://www.akilanews.com/Business_news/Detail/27-04-2018/7076

રાજ્યમાં સૂર્યદેવ હજુયે કોપાયમાન :આકરો ઉનાળો :સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42,3 ડિગ્રી :રાજકોટમાં 42 ડિગ્રી-અમદાવાદ-ઇડર અને અમરેલી-ભુજમાં તાપમાનનો પારો 41  ડિગ્રીને પાર
 અમદાવાદ ;રાજ્યમાં સુર્યદેવ જાણે કોપાયમાન થયા હોય તેમ તાપમાનનો પારો 32 ડિગ્રીને પાર પહોંચ્યો છે આકાર ઉનાળાના કારણે રાજ્યમાં કનિદૈ લાકિઅ લોકો ઘરની અકિલા બહાર નિકળવાનું ટાળી રહ્યાં છે. રાજ્યમાં સૌથી વધુ સુરેન્દ્રનગરનું મહત્તમ તાપમાન 42.3 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદનું મહત્તમ કનિદૈ લાકિઅ તાપમાન 41.3 ડિગ્રી નોંધાયું છે. ગુજરાતમાં 40 ડિગ્રીથી નીચે તાપમાન વડોદરા અકીલા શહેરમાં નોંધાયું હતું. વડોદરાનું તાપમાન 39.7 ડિગ્રી કનિદૈ લાકિઅ નોંધાયું હતું.      પ્રાપ્ત આંકડાઓ પ્રમાણે ગુજરાતમાં ગરમીનો પારો 42 ડિગ્રીને વટાવી ચૂક્યો છે. આ આંકડો આગળ પણ વધી શકે. ગુજરાતમાં સૌથી વધારે કનિદૈ લાકિઅ ગરમી સુરેન્દ્રનગરમાં નોંધાઈ હતી. સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન ખાતાની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં રાજ્યમાં કનિદૈ લાકિઅ ગરમી વધી શકે છે. આ સાથે રાજ્યમાં કેટલાક શહેરોમાં સરેરાશ તાપમાન 40 ડિગ્રી નોંધાયું હતું.   કયા શહેરોમાં કેટલું તાપમાન :  સુરેન્દ્રનગરનું કનિદૈ લાકિઅ મહત્તમ તાપમાન 42.3 ડિગ્રી રાજકોટનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી અમદાવાદનું મહત્તમ તાપમાન 41.3 ડિગ્રી ઈડરનું મહત્તમ તાપમાન 41.2 ડિગ્રી અમરેલી કનિદૈ લાકિઅ અને ભુજનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી કંડલા એરપોર્ટનું મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી વડોદરાનું મહત્તમ તાપમાન 39.7 ડિગ્રી (9:10 am IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/27-04-2018/76592

નોટબંધીથી લઇને નોટમંદી સુધી, સરકાર અને RBI વચ્ચે મતભેદ જારી
 - મંગળવારે સર્જાયેલી કટોકટી સમયે ઉતાવળમાં આપેલા નિવેદનોએ ભાંડો ફોડયો - સરકારે કહ્યું દેશમાં કોઇ નાણાકીય સંકટ નથી, આરબીઆઇએ કેટલાક રાજ્યોમાં સંકટની સ્થિતિ હોવાનું સ્વીકાર્ નવી દિલ્હી, તા. 18 એપ્રિલ 2018, બુધવાર દેશભરમાં નોટબંધી જ્યારે લાગુ કરવામાં આવી હતી ત્યારે રોકડ રકમ માર્કેટમાં ન હોવાથી લોકોમાં ભારે રોષ હતો અને તે સમયે નોટબંધીનો વિચાર કોનો હતો તેને લઇને સરકાર અને આરબીઆઇ બન્ને એકબીજા પર ઢોળી રહ્યા હતા. હવે ફરી દેશમાં નાણાકીય સંકટની સ્થિતિ છે ત્યારે એવા અહેવાલો છે કે આરબીઆઇ અને સરકાર વચ્ચે મતભેદ હજુ પણ જારી છે. કેન્દ્રીય નાણા મંત્રાલય અને આરબીઆઇ બન્ને પોતાના બચાવમાં અલગ અલગ નિવેદનો આપી રહ્યા છે. દેશભરમાં જ્યારે મંગળવારે નાણાકીય સંકટ પેદા થયું ત્યારે લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. પરીણામે પોતાના બચાવમાં આરબીઆઇ, કેન્દ્રીય નાણા અને અન્ય મંત્રાલયો, અન્ય બેંકો વગેરે પોતાના બચાવમાં નિવેદનો આપવા લાગ્યા હતા અને લોકોનો ગુસ્સો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. સૌપ્રથમ કેન્દ્ર સરકાર તરફથી નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે હાલ ચલણી નાણાનું કોઇ જ સંકટ નથી. જોકે જે વિસ્તારમાં પણ નાણાકીય સંકટની સ્થિતિના દાવા થઇ રહ્યા છે ત્યાં ઝડપથી નાણા પહોંચાડવામાં આવી રહ્યા છે. નાણા મંત્રાલયની આ સ્પષ્ટતાના થોડા સમય બાદ રિઝર્વ બેંકે એક પ્રેસનોટમાં જણાવ્યું હતું કે દેશના લગભગ પાંચ રાજ્યોમાં ૧૨-૧૩ દિવસમાં વધુ પ્રમાણમાં લોકોએ રોકડ ઉપાડી લેતા કેશ ક્રંચ સંકટ પેદા થયું છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે બેંકે એક સમિતીની રચના કરી છે. એટલે કે બેંક કહે છે કે કેશ ક્રંચ થયું હતું જ્યારે સરકાર કહે છે કે એવું કંઇ જ નથી. તેના પરથી સ્પષ્ટ થાય છે કે બેંક અને સરકાર વચ્ચે મતમતાંતર જોવા મળી રહ્યું છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/issue-of-odds-between-the-government-and-the-rbi-from-notebandhi-to-notemandi

અમદાવાદમાં હેલ્મેટ વગર વાહન ચલાવતા લોકોને ગુલાબ સાથે '' ફ્રી'' માં હેલ્મેટ અપાયું 
ટ્રાફિક-પોલીસ અને કોલંબિયા એશિયા હોસ્પિટલ દ્વારા રોડ સેફટી વીકની ઉજવણી કનિદૈ લાકિઅ અમદાવાદઃ ટ્રાફિક-પોલીસ અને કોલંબિયા એશિયા હોસ્પિટલ દ્વારા રોડ સેફટી વીકની ઉજવણી કરાઈ હતી રસ્તા પર હેલ્મેટ વગર વાહન ચલાવતા લોકોને ગુલાબ કનિદૈ લાકિઅ આપવાની સાથે અકિલા ફ્રીમાં હેલ્મેટ પણ અપાયું હતું   મળતી માહિતી મુજબ અમદાવાદમાં રાફિક નિયમોનું પાલન થાય એ માટે ટ્રાફિક-પોલીસ દ્વારા નવો કનિદૈ લાકિઅ પ્રયોગ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં ટ્રાફિક-પોલીસ દ્વારા રોડ સેફ્ટી વીકની અકીલા ઉજવણી કરવામાં આવી છે. શહેરના એસ.જી. હાઇવે પાસે પકવાન ચાર કનિદૈ લાકિઅ રસ્તા પર મોટી સંખ્યામાં દ્વિચક્રી વાહનચાલકો, જેઓ હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવતા હતા તેમને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા હતા. ટ્રાફિક-પોલીસ કનિદૈ લાકિઅ દ્વારા કાયદેસરનો મેમો ફાડી તેમની પાસેથી.100 નો દંડ કરી ગુલાબ આપવામાં આવ્યું અને સાથે સાથે ભવિષ્યમાં ફરી હેલ્મેટ વગર વાહન ન ચલાવે એ હેતુથી કનિદૈ લાકિઅ મફતમાં હેલ્મેટ પણ ભેટસ્વરૂપે આપવામાં આવી. (9:58 pm IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/27-04-2018/76588

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App




 CLICK HERE TO DOWNLOAD


Special Offer Holy Tally Mobile App


Offer Time :- 15 April 2018 & 30 April 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135





Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)