સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday 29 February 2016

પાંચ લાખ સુધીના પગારદારોને માત્ર રૃા. ૩૦૯૦ની રાહત આપી - EPFનો ઉપાડ મોંઘો પડશે : ૬૦ ટકા રકમ પર ટેક્સ લાગશે - એક કરોડથી વધુની આવક પર સરચાર્જ વધીને ૧૫ ટકા કરાયો

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

રૃા. પાંચ લાખ સુધીના પગારદારોને માત્ર રૃા. ૩૦૯૦ની રાહત આપી

- ટેક્સ સ્લેબમાં કોઈ જ ફેરફાર કરવામાં ન આવ્યો

૫ લાખથી કે ૧૦ લાખથી વધુની આવક ધરાવનારાઓને નાણા મંત્રી દ્વારા કોઈ જ રાહત આપવામાં આવી નથી
(પ્રતિનિધિ તરફથી)     અમદાવાદ,તા.૨૯
ભારતના કરોડો પગારદારોને હતાશ કરતાં નાણાં મંત્રી અરુણ જેટલીએ રૃા. ૫ લાખ સુધીના પગારદારોને માત્ર રૃા. ૩૦૯૦ની નજીવી રાહત આપી છે. પાંચ લાખ સુધીના પગારદારોન વેરામાં અત્યાર સુધી રૃા. ૨૦૦૦ની રાહત આપવામાં આવતી હતી તે વધારીને રૃા. ૫૦૦૦ કરી દેવામાં આવતા તેમને વધાારના રૃા. ૩૦૦૦નો લાભ મળ્યો છે. તેના પર લેવાતા સરચાર્જનો તેમાં ઉમેરો કરવામાં આવે તો રાહત રૃા. ૩૦૯૦ની થાય છે. બીજી તરફ નાણાં મંત્રીએ રૃા. ૫ લાખથી ૧૦ લાખની અને રૃા. ૧૦ લાખથી વધુની વાર્ષિક આવક ધરાવતા કરદાતાઓને કોઈ જ રાહત આપવામાં આવી નથી.
નાણાં મંત્રીના આ બજેટથી નોકરિયાત વર્ગ અને સરકારી નોકરિયાત જરાય આકર્ષાયા નથી. ત્રણ ટકા સરચાર્જ સાથે આવકના જુદાજુદા સ્લેબમાં લાગુ પડનાાર આવકવેરાની વિગતો નીચે મુજબ છે. આ ગણતરીમાં આવકવેરો બચાવવા માટે જુદી જુદી કલમો હેઠળ કરવામા આવતા રોકાણને કારણે મળતા લાભને ગણતરીમાં લીધા વિના જ રૃા. ૧૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવનારાઓને વેરાની કેટલી બચત થશે તેની વિગતો આ સાથે જ નીચેના બોક્સમાં આપવામાં આવી છે.
જોકે અરુણ જેટલીએ તેમના બજેટ મારફતે કલમ ૮૦ જીજી હેઠલ હાઉસ રેન્ટના ડિડક્શનની રકમ વાર્ષિક રૃા. ૨૪૦૦૦થી વધારીને રૃા. ૬૦,૦૦૦ કરી આપી છે. એચઆરએ ન લેનારાઓને રૃા. ૬૦,૦૦૦ સુધીની રકમ કલમ ૮૦ જીજી હેઠળ બાદ આપવાની જોગવાઈ કરી આપવામાં આવી છે. આ માટે તેમણે ત્રણ કન્ડિશન પણ મૂકેલી છે.
એક વ્યક્તિગત કરદાતાને કે પછી હિન્દુ અવિભક્ત પરિવારને જ કલમ ૮૦ જીજી હેઠળ ચૂકવેલું ભાડું બાદ મળી શકે છે. બીજું, આ નોકરિયાત સ્વરોજગાર મેળવતો હોવો જોઈએ અથવા તો તે પગારની આવક ધરાવતો હોવો જોઈએ. ત્રીજું, કરદાતા કે તેમની પત્ની અથવા તો સગીર વયના બાળકને નામે તે જે સ્થળે નોકરી કરતો હોય કે વ્યવસાય કરતો હોય તે સ્થળે કોઈ જ ઘર હોવું ન જોઈએ. આ સંજોગોમાં જ તેમને કલમ ૮૦ જીજીનો લાભ આપવામાં આવશે. કલમ ૮૦ જીજી હેઠળ ડિડક્શન મેળવવા ઇચ્છતા કરદાતાએ ઉપર જણાવેલી તમામ શરતોને આધીન રહીને આ રાહત મેળવવા માટે તે પાત્રતા ધરાવે તેવી જાહેરાત તેણે ફોર્મ નંબર ૧૦ બીએ મારફતે કરવાની રહેશે. આ રાહત મેળવવામાં કોઈ પણ શરતનો ભંગ થતો નથી તે જણાવવું પડશે. આમ વધારાનો રૃા. ૩૬૦૦નો વેરા લાભ પણ કરદાતાઓને મળશે. વાર્ષિક રૃા. ૫ લાખ સુધીની આવક ધરાવનારા કરદાતાઓને આ લાભ મળશે.
મહિને રૃા. ૫૦૦૦નું ને વર્ષે રૃા. ૬૦૦૦૦ની રાહત આપતી જોગવાઈનો લાભ લેવા ઇચ્છતી વ્યક્તિ વાર્ષિક રૃા. ૩ લાખની આવક ધરાવતો હોય અને રૃા. ૧.૫ લાખનું ભાડું ચૂકવતો હોય તો તેને મહિને રૃા. ૫,૦૦૦ ને વર્ષે રૃા. ૬૦૦૦૦ બાદ મળી શકે છે.
તેની ગણતરી કંઈક આ રીતે કરવામાં આવે છે. ત્રણ લાખની આવકમાંથી રૃા. ૧.૫ લાખ ભાડું ચૂકવે છે. કુલ આવકરમાંથી ૧૦ ટકાની બાદબાકી કરવામાં આવતા બીજી રૃા. ૩૦,૦૦૦ની આવક થાય છે. આમ તેની કુલ આવકમાંથી રૃા. ૧.૮ લાખ બાદ થઈ જાય છે. તેને રૃા.૬૦૦૦૦ આવકમાંથી બાદ મળી જાય છે.

નિવૃત્તિ સમયે EPFનો ઉપાડ મોંઘો પડશે : ૬૦ ટકા રકમ પર ટેક્સ લાગશે

- સરકાર ત્રણ વર્ષ સુધી નવા કર્મચારીઓનો EPF ફાળો ભરશે

નવી દિલ્હી, તા. ૨૯
નાણા પ્રધાન અરુણ જેટલીએ કરેલી જાહેરાતથી નિવૃત્તિ સમયની તમારી બચતમાં નોંધપાત્ર ઘટાડો થઇ શકે છે. નાણાપ્રધાને કરેલી જાહેરાત મુજબ નિવૃત્તિ સમયે  નેશનલ પેન્શન સ્કીમ(એનપીએસ) અને એમ્પલોઇ પ્રોવિડન્ટ ફન્ડ(ઇપીએફ)ના નાણા ઉપાડતી વખતે તેના પર આંશિક સ્વરૃપે ટેક્સ વસૂલ કરવામાં આવશે.
ઇપીએફની રકમ પર અત્યાર સુધી ટેક્સ વસૂલવામાં આવતો ન હતો. ઇપીએફમાં નાણા રોકવાના સમયે, રકમ પર મળતી વ્યાજની રકમ અને ઉપાડતી વખતે કોઇ પણ જાતનો ટેક્સ વસૂલ કરવામાં આવતો ન હતો. બેન્ક ખાતામાં જમા થતી એનપીએસની રકમ પર ટેક્સ વસૂલ કરવામાં આવતો હતો.
૧ એપ્રિલ, ૨૦૧૬ પછી ઇપીએફની કુલ રકમના ૬૦ ટકા પર ટેક્સ વસૂલવામાં આવશે જ્યારે ૪૦ ટકા રકમ પર ટેક્સ વસૂલવામાં આવશે નહીં. એનપીએસમાં હાલમાં નિવૃત્તિ સમયે જેટલી રકમ જમા થઇ હોય તેની ૪૦ ટકા રકમનો એન્યુઇટી પ્લાન ખરીદવાનો હોય છે જ્યારે બેંકમાં જમા થતી ૬૦ ટકા રકમ પર ટેક્સ વસૂલ કરવામાં આવે છે.  નવા કર્મચારીઓનો એમ્પલોયી પ્રોવિડન્ટ ફન્ડ(ઇપીએફ)નો ૮.૩૩ ટકાનો ફાળો ત્રણ વર્ષ સુધી સરકાર ભરશે તેવી જાહેરાત નાણાપ્રધાન અરુણ જેટલીએ બજેટ દરમિયાન કરી હતી. પોતાનું ત્રીજું બજેટ કજૂ કરતા જેટલીએ જણાવ્યું હતું કે ૧૫,૦૦૦ સુધીનું માસિક પગાર ધરાવતા કર્મચારીઓને આ લાભ મળશે. જેટલીએ ૨૦૧૬ના બજેટમાં નવી ઇપીએફ સ્કીમ માટે ૧૦૦૦ કરોડ રૃપિયા અલગ ફાળવ્યા છે.

વર્ષે એક કરોડથી વધુની આવક પર સરચાર્જ વધીને ૧૫ ટકા કરાયો

- સુપર રિચના ખિસ્સા પર સતત બીજા વર્ષે પણ કાતર ફરી

સુપર રિચ પર યુપીએ સરકારે લાદેલા સરચાર્જમાં એનડીએ સરકારે ત્રણ ટકાનો વધારો કર્યો
(પીટીઆઇ)     નવી દિલ્હી તા. ૨૯
નાણા પ્રધાન અરૃણ જેટલીએ સુપર રીચ પર લાદવામાં આવેલા સરચાર્જમાં ત્રણ ટકાનો વધારો કર્યો છે, જેને પગલે હવે સરચાર્જ ૧૫ ટકા ચુકવવો પડશે. જે લોકોની વાર્ષિક આવક ૧ કરોડ કે તેથી વધુ હોય તેમના પર આ ટેક્સ લાદવામાં આવ્યો છે.
અગાઉ ૧૨ ટકા સરચાર્જ હતો જેમાં વધારો કરી ૧૫ ટકા કરવામાં આવ્યો છે. સૌપ્રથમ ૨૦૧૩-૧૪માં યુપીએ સરકારમાં નાણા પ્રધાન પી. ચિદંબરમે આ સરચાર્જ વાર્ષિક એક કરોડ કે તેથી વધુની આવક ધરાવતા લોકો પર લગાવ્યો હતો, જોકે તે સમયે સરચાર્જ ૧૦ ટકા જ હતો, જે વધીને હવે ૧૫ ટકા સુધી પહોંચી ગયો છે.
ઉલ્લેખનીય છે કે ગત બજેટમાં અરૃણ જેટલીએ વેલ્થ ટેક્સને રદ કર્યો હતો અને તેની જગ્યાએ એક કરોડ કે તેથી વધુની વાર્ષિક આવક ધરાવનારા પર લાદવામાં આવેલા સરચાર્જમાં બે ટકાનો વધારો કર્યો હતો અને હવે એક જ વર્ષમાં ત્રણ ટકાનો વધારો કર્યો છે. એટલે કે એનડીએના શાસનમાં સુપર રીચ પરના સરચાર્જમાં પાંચ ટકાનો વધારો થયો છે.



Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Friday 19 February 2016

Freedom 251 Mobile खरीदता पहेला तमारी आजनो न्यूज रिपोर्ट वाचि लेवो जोये - Freedom 251: રિંગિંગ બેલની ઓફિસ પર પોલીસ અને ઈન્કમ ટેક્સના દરોડા...

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

Freedom 251 Mobile खरीदता पहेला तमारी आजनो न्यूज रिपोर्ट वाचि लेवो जोये




Freedom 251: રિંગિંગ બેલની ઓફિસ પર પોલીસ અને ઈન્કમ ટેક્સના દરોડા... 


નોયડાઃ માત્ર 251 રૂપિયામાં સ્માર્ટફોન વેચવાનો દાવો કરનારી કંપની રિંગિંગ પર પોલીસ અને ઈન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ જે કંપનીએ માત્ર 251 રૂપિયામાં સ્માર્ટફોન વેચવાનો દાવો કર્યો હતો, તેને પગલે ઉભા થયેલા વિવાદને લઈને આ કાર્યવાહી કરી હતી. આ પહેલા ટેલિકોમ મંત્રાલયે પણ રિંગિગ બેલ પાસે ફોન સંલગ્ન માહિતી માંગી ચૂક્યું છે. કંપની સસ્તા ફોનના બહાને કોઈ પ્રકારનો ગોટાળો કરી રહી હોવાની પોલીસને શંકા છે. રિંગિગ બેલના અધિકારીઓ દ્વારા આ વાતનું ખંડન કરવામાં આવ્યું છે

પોલીસ અને આઈટી ડિપાર્ટમેન્ટે કેમ કરી કાર્યવાહી
 
મનીભાસ્કરને મળેલી માહિતી મુજબ, બુધવારે જ્યારે કંપનીએ જાહેરાત કરી હતી કે તેઓ 251 રૂપિયામાં સ્માર્ટફોન આપશે, તે બાદ પોલીસ અને આઈટી ડિપાર્ટમેન્ટની સમગ્ર મુદ્દા પર નજર હતી. ગુરુવારે કંપનીની વેબસાઈટ ક્રેશ થઈ અને લોકો ફોનનું બુકિંગ કરી શકતા નહોતા ત્યારે પોલીસ અને આઈટી ડિપાર્ટમેન્ટે કંપનીની તપાસ કરવાનું ચાલુ કરી દીધું હતું. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, કંપનીની નોયડા ઓફિસ પર જઈને અમે કંપની કોઈ પ્રકારની છેતરપીંડી તો કરી રહી નથીને તે જોવા માંગતા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, પોલીસ અને આઈટી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ તપાસ માટે ઓફિસમાંથી જરૂરી ડોક્યુમેન્ટ્સ તેમની સાથે લઈ ગયા હતા.
 
કંપનીના ટોચના અધિકારીઓના જપ્ત થઈ શકે છે પાસપોર્ટ

સૂત્રોના જણાવ્યા મુજબ, જો તપાસમાં ફ્રોડનો મુદ્દો સામે આવશે કંપનીના વરિષ્ઠ અધિકારી અને પ્રમોટર્સ દેશ છોડીને નાસી ન જાય તે માટે તેમના પાસપોર્ટ પણ જપ્ત કરવામાં આવી શકે છે. કંપનીએ આ વાતોનું ખંડન કર્યું છે. તેમના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, કેટલાક દિવસોથી ચાલી રહેલી ચર્ચાઓને જોતાં કંપનીએ સામે ચાલીને પોલીસ અધિકારીઓને બોલાવીને સંબંધિત જરૂરી ડોક્યુમેન્ટ્સ આપ્યા છે. કંપની તેના વાયદા મુજબ લોકોને ફોન આપશે.


બીજેપી નેતા કિરીટ સોમૈયા કર્યું ટ્વિટ
 
ભાજપ સાંસદ કિરીટ સોમૈયાએ રિંગિંગ બેલ સામે બુધવારે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ટેલિકોમ મંત્રાલયે કંપનીને પૂછ્યું છે કે BIS માપદંડ વગર તેઓ કેવી રીતે સ્માર્ટ ફોન વેચવાનો દાવો કરી રહી છે. આ ઉપરાંત મંત્રાલયે યૂપી સરકારને પણ કંપનીની સંપૂર્ણ વિગતો મેળવવાનું કહ્યું છે

સેલ્યુલર એસોસિએશને કરી ફરિયાદ
 
ઈન્ડિયન સેલ્યુલર એસોસિએશનના નેશનલ પ્રસિડેન્ટ પંકજ મહેન્દ્રુએ મનીભાસ્કરને જણાવ્યું હતું કે, આટલા ઓછા ભાવે કોઈપણ કિંમત સ્માર્ટફોન લોન્ચ કરી શકે નહીં. આ રીતનો ફોન બનાવવામાં વિશ્વના કોઈપણ ખૂણામાં ઓછામાં ઓછા 40 ડોલર રૉ મટીરિયલનો ખર્ચ આવે છે. આ સ્થિતિમાં ફોનનો ખર્ચ 2700 રૂપિયાથી ઓછો આવે નહીં. જો ટેક્સ વગેરેને ઉમેરી દેવામાં આવે તો ખર્ચ 4000 રૂપિયા સુધી પહોંચી શકે છે.
 
માત્ર 4 મહિના પહેલાં બની છે કંપની
 
કોર્પોરેટ અફેયર્સ મંત્રાલયને મળેલી માહિતી મુજબ, રિંગિંગ બેલ્સ પ્રાઈવેટ લિમિટેડ સપ્ટેમ્બર, 2015માં બનાવવામાં આવી છે. જે દિલ્હીમાં રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ ઓફિસમાં રજિસ્ટર્ડ છે. કંપનીની મૂડી 60 લાખ રૂપિયા અને ઓથોરાઈઝ્ડ કેપિટલ 1 કરોડ રૂપિયા દર્શાવવામાં આવી છે. બુધવારે ફોન લોન્ચ કરતી વખતે રિંગિંગ બેલના પ્રેસિડેન્ટ અશોક ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, ફોનનો મેન્યુફેક્ચરિંગ ખર્ચ 2,500 રૂપિયા છે તેમ છતાં કંપની 251 રૂપિયામાં તેનું વેચાણ કરશે.
હજુ કંપનીનો પ્લાન્ટ સ્થાપવાનો છે બાકી
અશોક ચઢ્ઢાના જણાવ્યા મુજબ, કંપની બે પ્લાન્ટ સ્થાપશે. જેના દ્વારા 5 લાખ ફોનનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવશે. એક પ્લાન્ટ નોયડા અને બીજો પ્લાન્ટ ઉત્તરાખંડમાં સ્થાપવામાં આવશે. જે માટે આશરે 500 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. કંપની આ રકમ લોન અને ઈક્વિટી દ્વારા એકત્ર કરશે.

Freedom 251 Mobile में नहीं धोखा, Ringing Bells ने किया दावा

Freedom 251Mobileफोन यानि दुनिया का सबसे सस्ता स्मार्टफोन Ringing Bells के मुताबिक आपके लिए फायदे का ही सौदा साबित होगा। कंपनी के मुताबिक यह फोन लेने ग्राहकों को इसकी पूरी और समय पर डिलीवरी की जाएगी। यह दावा कंपनी के CEO मोहित गोयल ने करते हुए कहा कि कंपनी बिल्कुल सही कर रही है और अपना वादा निभाएगी। फ्रीडम 251 की कीमत पर शंशय Freedom 251 की कीमत को लेकर लोगों में आंशका थी की कंपनी 250 रूपए लेकर पैसा इकट्ठा कर भाग जाएगी।
इसके अलावा कई मोबाइल फोन निर्माताओं से लेकर नेताओं तक ने रिंगिंग बेल्स के इस सबसे सस्ते स्मार्टफोन पर सवाल उठाए थे। लेकिन अब कंपनी ने सबको संतुष्ट करते हुए प्रत्येक सवाल का जवाब दिया और अपना वादा पूरा करने के लिए कहा है। फ्रीडम 251 बुकिंग्स ख्प्रोसेस Freedom 251 Booking को लेकर भी वेबसाइट क्रैश होने पर लोगों में गुस्सा था, इसके अलावा व्हाट्सएप जैसे इंस्टेंट मैसेजिंग एप से लेकर ट्विटर पर भी कंपनी की आलोचना करते हुए ऑनलाइन चुटकियां ली गई। लेकिन अंतत: कंपनी अपने संतुष्टीपूर्वक जवाब देकर एकबार फिर से लोगों का विश्वास बनाए रखा। फ्रीडम 251 के रजिस्ट्रेशन 1 करोड़ रिंगिग बेल्स की बुकिंग्स शुरू होने से लेकर अब तक इसके लिए 1 करोड़ यूनिट्स के लिए रजिस्ट्रेशन हो चुके हैं। ऐसे में कई लोगों ने यह सवाल उठाया कि कंपनी इतने सारे फोन 30 जून तक कैसे यानी चार महीनों में कैसे डिलीवर करेगी। हालांकि कंपनी ने इसका भी अच्छे तरीके से जवाब दिया है। कंपनी ऐसे करेगी सप्लाई रिंगिंग बेल्स के सीईओ ने कहा कि कंपनी जल्द ही नोएडा और उत्तराखंड में दो फैक्ट्रियां लगाएगी जहां पर लाखों की संख्या में हैंडसेट्स बनाए जाएंगे और ग्राहकों को इनकी डिलीवरी टाइम की जाएगी।इसके अलावा कंपनी जल्द ही रिंगिंग बेल्स SIM Card भी ला सकती है। Freedom 251





Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)