સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 27 September 2017

ચૂંટણી આવી, સરકાર જાગી : પાટીદારો સામેના પોલીસ કેસો પાછા ખેંચાશે - પતિની આત્મહત્યા બદલ પત્નીની ધરપકડ - કુલડીમાં ગોળ ભાંગનાર સરકાર સામે બ્રહ્મ સમાજ નારાજ, સવર્ણ આયોગ નામંજૂર

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

ચૂંટણી આવી, સરકાર જાગી : પાટીદારો સામેના પોલીસ કેસો પાછા ખેંચાશે

પંચ માટે નિવૃત જજની નિમણૂક કરવામાં આવશે અને પંચના રિપોર્ટના આઘારે કાર્યવાહી કરવામાં આવશે 

અમદાવાદ: બુધવારે મળેલી બેઠકમાં બિનઅનામત આયોગના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ આયોગને 'બિનઅનામત શૈક્ષણિક વિકાસ નિગમ' નામ આપવામાં આવશે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદારો પર થયેલા પોલીસ દમન અંગે પણ તપાસ પંચ બનાવવાની સરકારે જાહેરાત કરી છે. આ પંચ માટે નિવૃત જજની નિમણૂંક કરવામાં આવશે અને પંચના રિપોર્ટના આઘારે કાર્યવાહી કરવામાં આવશે. ચૂંટણી આવી રહી છે ત્યારે સરકાર જાગી છે.
- પાટીદાર પરના પોલીસ કેસો પાછા ખેંચવામાં આવશે, જે સરકાર ના હસ્તક છે
- કેસ પાછા ખેંચવા ગૃહ સચિવને સૂચના
આપી
- બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની મંજૂરી આપવામાં આવી
- મુખ્યમંત્રી ની અધ્યક્ષતા માં લેવાયા નિર્ણય
- ઓછા વ્યાજની લોનની પણ જોગવાઈ
- પોલીસ દમન માટે હાઇકોર્ટના નિવૃત જજને તપાસ સોંપવામાં આવશે
- ખેતી વિષયક નિર્ણય
: બજેટમાં પશુઓ પાકને નુકસાન કરે છે તેના રક્ષણ માટે 700 કરોડ ફળવ્યા છે, જેમાં હવે 10 હેક્ટર સુંધી મંજૂરી મળશે
પહેલા ૨૦ હેક્ટર ના ખેડૂતો ને મળતી હતી, જેનો લાભ હવે 10 હેક્ટર ના માલિકો ને પણ મળશે
- પોલીસ કેસ પાછા ખેંચવા માટે ગૃહ વિભાગ અને ગૃહ સચિવને તાત્કાલિક ચર્ચા કરી આદેશ અપાશે
- સર્વણ સમાજ માટે આયોગ રચવાનો નિર્ણય
- શિક્ષણ, વ્યવસાય-ધંધા, ખેતી સહિતની બાબતો માટે લોન અને જરૂરી સહાય આપશે
- ગઈકાલની મીટિંગ સફળ ગણાવતાં નીતિન પટેલ
- ગુજરાત સરકાર હસ્તક જ કેસ પાછા ખેંચવાની સત્તા છે તેવા તમામ કેસો પાછા ખેંચાશે
કેબિનેટની બેઠકમાં પાટીદારોની માંગણીઓ અંગે ચર્ચા
મંગળવારે પાટીદાર આગેવાનો અને સરકાર વચ્ચે થયેલી બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બિનઅનામત આયોગ અંગે તૈયારી બતાવી હતી. જે બાદ આજે મળેલી કેબિનેટની બેઠકમાં આયોગના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટની બેઠકમાં પાટીદાર આગેવાનોની માંગ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક બાદ હાર્દિક પટેલે શું કહ્યું હતું?
- સમગ્ર બેઠકમાં અનામતની એક પણ પ્રકારની વાતચીત કરવામાં આવી નથી.
- શહીદ પરિવારોને વળતર આપવાની જે વાત છે એની જવાબદારી ભાજપ સરકારે પાટીદાર ધાર્મિક સંસ્થાઓના આગેવાનોને સોંપી છે અને અર્ધસરકારી નોકરીની વ્યવસ્થા પણ સમાજના અમુક આગેવાનો કરશે.
- બિનઅનામત આયોગ અને કેસો પાછા ખેંચવાનું આવતીકાલે કેબિનેટની મીટિંગ પછી જાહેર કરીશું એવું સરકારના પ્રતિનિધિએ કહ્યું.
- ગોળીબાર તથા લાઠીચાર્જ કરનાર અધિકારીઓ પર તપાસ કરવા સીટની રચના કરવામાં આવશે.
બેઠક બાદ નીતિન પટેલે શું કહ્યું હતું?
સરકારે ઘણી વખત ચર્ચા કરી છે. સરકાર તરફથી અનેક લાભો અપવામાં આવ્યા છે. આર્થિક અનામતનો કાયદો સુપ્રીમના ચુકાદાને પડકારવામાં આવ્યો છે. પાટીદાર સમાજની મુખ્ય માંગણી હતી કે પાટીદારો પર થયેલા તમામ કેસો પાછા ખેંચવામાં આવે. તે તમામ કેસો પાછા ખેંચવા સરકાર તૈયાર છે. સંસ્થાઓ તરફથી માંગ હતી કે, શહીદ થયેલા પાટીદારોના સમાજના પરિવારને નોકરી આપવામાં આવે. તે માટે પણ સરકાર તૈયાર છે.
બેઠકમાં 'ભાજપ હાય હાય'ના નારા લાગ્યા હતા
સરકાર તેમજ પાટીદાર સમાજની મહત્વની 6 સંસ્થાઓના ટ્રસ્ટીઓ, સામાજિક આગેવાનો અને આંદોલનકારી સંસ્થા પાસ અને એસપીજીના હાર્દિક પટેલ, પૂર્વી પટેલ સહિતના કન્વીનરો સહિત 100 જેટલા અગ્રણીઓની બેઠક સરકાર યોજાઈ હતી. જ્યારે ચાલુ બેઠકમાં જ પાસ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો અને 'ભાજપ હાય હાય'ના નારા લગાવવામાં આવ્યા હતા.

બેઠકમાં અમુક માંગો સ્વીકારવામાં આવી નહોતી
સરકાર અને પાટીદાર આગેવાનો વચ્ચે યોજાયેલી બેઠકમાં હાલ કોઇ ઉકેલ આવ્યો ન હતો. સરકારે સવર્ણ આયોગ આપવાની વાત કરી હતી, જે પાટીદાર આગેવાનોને માન્ય નથી. સાથે જ સરકાર પાટીદારો પર થયેલા કેસો પરત ખેંચવા તૈયાર થઇ છે, પરંતુ અનામત અને જવાબદાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાની માંગનો સ્વીકાર સરકાર દ્વારા કરવામાં આવ્યો નહતો. પાટીદાર આગેવાનોએ માંગણીઓ અંગે સરકારને બે દિવસનો સમય આપ્યો હતો.

Source :- https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-binanamat-aayog-proposal-clearance-in-cabinet-meeting-by-gujarat-government-NOR.html?ref=ht

 પતિની આત્મહત્યા બદલ પત્નીની ધરપકડ

આને કહેવાય રિવર્સ કેસ
<br />પતિની આત્મહત્યા બદલ પત્નીની ધરપકડ
   મુંબઇ તા. ૨૭ : ચોથી સપ્ટેમ્બરની સાંજે નવી મુંબઈના વાશીમાં ગ્રીન પાર્કમાં રહેતા ૨૬ વર્ષના કમલેશ વસંત ભાનુશાલીએ તેના જ ફ્લેટના બેડરૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરતાં પહેલાં કમલેશ ભાનુશાલીએ લખેલી સુસાઇડ-નોટમાં તેની આત્મહત્યા માટે તેની પત્ની ક્રિષ્નાના માનસિક ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો. એથી ગઈ કાલે કમલેશના મૃત્યુ બદલ ક્રિષ્નાની ખ્ભ્પ્ઘ્ માર્કેટ પોલીસે ધરપકડ કરી હતી.
   આખા બનાવની માહિતી આપતાં કમલેશ ભાનુશાલીના મોટા ભાઈ અશ્વિન ભાનુશાલીએ કહ્યું હતું કે 'કમલેશનાં લગ્ન ૩૦ જૂને ગોરેગામ (ઈસ્ટ)માં રહેતી ક્રિષ્ના દિનેશ ભાનુશાલી સાથે થયાં હતાં. આ દંપતી હનીમૂન પર જઈને પાછું આવ્યું ત્યારથી ક્રિષ્ના પતિ કમલેશ, સસરા વસંતભાઈ અને સાસુ હરબાઈ સાથે ગેરવર્તાવ કરતી હતી. કોઈ પણ કારણસર કમલેશ સાથે ઝઘડા કરીને કમલેશને તે માનસિક ત્રાસ આપતી હતી. આત્મહત્યાના બે દિવસ પહેલાં એટલે કે પહેલી સપ્ટેમ્બરે ક્રિષ્નાની બહેન કમલેશના ઘરે એક દિવસ માટે રોકાવા આવી હતી. એના બીજા દિવસે જ ક્રિષ્ના અને કમલેશ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ક્રિષ્નાએ કમલેશને કહ્યું હતું કે તું બે લાખ રૂપિયા ભરીને આપણું બેન્કમાં અકાઉન્ટ ખોલાવીશ નહીં ત્યાં સુધી તારા અને મારા વચ્ચે કોઈ જ સંબંધ નહીં રહે, હું તારી સામે ખોટી ફરિયાદ કરીને તને ફસાવી દઈશ. ત્યાર બાદ ક્રિષ્ના પિયર જતાં પહેલાં કમલેશને ધમકી આપીને ગઈ હતી કે હું તમને બધાને ફિટ કરી દઈશ.'
   આ ધમકી પછીના રવિવારે કમલેશ પર ક્રિષ્નાનો ફોન આવ્યો હતો એમ જણાવતાં અશ્વિન ભાનુશાલીએ કહ્યું હતું કે 'સોમવારે ચોથી સપ્ટેમ્બરે સાંજે કમલેશ બહારથી ઘરે આવીને તેના રૂમમાં જતો રહ્યો હતો. એ સમયે મારી પત્ની અને મારી પુત્રી બહાર ગાર્ડનમાં ગયાં હતાં. સાંજના પોણાસાત વાગ્યે હું અમારી ફરસાણની દુકાને ગયો ત્યારે મને ખબર પડી કે કમલેશ આજે દુકાને ગયો જ નથી. એટલે મેં તેને ફોન કરવાના ખૂબ જ પ્રયાસ કર્યા, પણ તેણે ફોન ઉપાડ્યો નહોતો. હું તરત જ ઘરે ગયો હતો. ત્યાં ગાર્ડનમાંથી મારી પત્ની અને પુત્રી સાથે ફલેટમાં ગયો અને જોયું તો કમલેશ બેડરૂમમાં પંખા પર લટકતો હતો. અમે કમલેશને પંખા પર લટકતો જોઈને ચીસાચીસ કરવા લાગ્યાં હતાં. એથી અમારા પાડોશીઓ ભેગા થઈ ગયા હતા. તેમણે પંખા સાથે લાગેલી રસ્સી કાપીને કમલેશની બોડી નીચે ઉતારી હતી. અમે તરત જ નજીકની હોસ્પિટલમાં તેને લઈ ગયા હતા, જયાં ડોકટરોએ કમલેશને મૃત જાહેર કર્યો હતો.'
   એ સમયે તેના ગજવામાંથી સુસાઇડ-નોટ નીકળી હતી એમ જણાવતાં અશ્વિન ભાનુશાલીએ કહ્યું હતું કે 'આ સુસાઇડ-નોટ કચ્છી, ગુજરાતી અને ઇંગ્લિશમાં લખાયેલી હતી જેમાં કમલેશે આત્મહત્યા માટે તેની પત્ની ક્રિષ્નાને જવાબદાર કહી હતી. પોલીસે આ સુસાઇડ-નોટ પર કબજો કરીને પોસ્ટમોર્ટમની વિધિ પછી કમલેશની ડેડ-બોડી અમને સોંપી હતી.'ત્યાર પછી પોલીસે આ બાબતમાં તપાસ કરીને ૨૧ સપ્ટેમ્બરે રાતે સાડાનવ વાગ્યે કમલેશની આત્મહત્યા બદલ ક્રિષ્ના સામે ફરિયાદ નોંધી હતી. એ બાબતની જાણકારી આપતાં અશ્વિન ભાનુશાલીએ કહ્યું હતું કે 'ગઈ કાલે ખ્ભ્પ્ઘ્ માર્કેટ પોલીસે મેં કરેલી ફરિયાદ સામે ક્રિષ્નાને સ્ટેટમેન્ટ આપવા બોલાવી હતી. ત્યાર બાદ તેની ધરપકડ કરી હતી.'
   ક્રિષ્નાની ધરપકડ બાબતે ખ્ભ્પ્ઘ્ માર્કેટ પોલીસે કહ્યું હતું કે અમે કમલેશને માનસિક ત્રાસ આપીને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપસર ગઈ કાલે ક્રિષ્નાની ધરપકડ કરી હતી.આખા બનાવ બાબતમાં સ્પષ્ટતા કરવા ગઈ કાલે ક્રિષ્નાના પિતા દિનેશ ભાનુશાલીને  ફોન કર્યો હતો, પરંતુ હું તમને ઓળખતો નથી એટલે તમારી સાથે વાત કરી શકું નહીં એમ કહીને ફોન મૂકી દીધો હતો. અમે આ બાબતના ન્યુઝ છાપવાના છીએ એના જવાબમાં તેમણે કહ્યું હતું કે તમને જે ઠીક લાગે એ છાપજો.(૨૧.૧૭)

Source :- http://www.akilanews.com/27092017/main-news/1506492106-114944

કુલડીમાં ગોળ ભાંગનાર સરકાર સામે બ્રહ્મ સમાજ નારાજ, સવર્ણ આયોગ નામંજૂર

તમામ બિનઅનામત સમાજની અમદાવાદમાં આગામી 5 ઓક્ટોબરે ચર્ચા સભા યોજાશે 

અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા બિનઅનામત આયોગની રચના કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેનો બ્રહ્મ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. બ્રહ્મ સમાજનું કહેવું છે કે, આ ચૂંટમીલક્ષી જાહેરાત છે. સરકારે બ્રાહ્મણ અને અન્ય સવર્ણ સમાજની સાથે ચર્ચા કર્યા વિના આયોગ બનાવવાની જાહેરાત કરી છે, જે બ્રહ્મ સમાજને મંજૂર નથી. ખાસ કરીને તેના વિરોધમાં તમામ બિનઅનામત સમાજની અમદાવાદમાં આગામી 5 ઓક્ટોબરે ચર્ચા સભા યોજાશે.
2015થી આયોગની માંગ કરતું આવ્યું છે બ્રહ્મ સમાજ
સરકારની જાહેરાત સંદર્ભે ગુજરાત બ્રહ્મ સમાજના મહામંત્રી યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે, બ્રહ્ન સમાજ દ્વારા 2015થી 'બ્રહ્મ વિકાસ આયોગ'ની માંગણી કરવામાં આવતી હતી, પરંતુ માત્ર પાટીદાર સમાજ સાથે મળીને સરકારે કુલડીમાં ગોળ ભાંગે એમ ચૂંટણીલક્ષી 'સવર્ણ આયોગ'ની જાહેરાત કરી અને અન્ય બિનઅનામત સમાજ સાથે ચર્ચા કર્યા વિના સવર્ણ સમાજ ઉપર થોપવામાં આવેલ છે. જે બ્રહ્મ સમાજને નામંજુર છે.
રઘવાઈ થયેલી સરકારની મતની રાજનીતિ
યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે, ગુજરાત માં 50% બિનઅમાનત વર્ગમાં થી માત્ર 16% મતદાર ધરાવતા પાટીદારોના માત્ર એક જૂથને ચર્ચામાં બોલાવીને 11% બ્રાહ્મણ અને 23% અન્ય એમ કુલ 34% બિનઅમાનત જ્ઞાતિને હળહળતો અન્યાય કરેલ છે. જે કદાપી ચલાવી લેવામાં નહીં આવે. માત્ર એક જ જ્ઞાતિના આગેવાનો બોલાવીને અન્ય જ્ઞાતિઓનું તૃષ્ટીકરણ કરવું એ યોગ્ય બાબત નથી. રઘવાઈ થયેલી સરકાર હવે જ્ઞાતિનો સહારો લઈને મતની રાજનીતિ રમે છે.

Source :- https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-brahm-samaj-protest-gujarat-government-savarna-aayog-decision-NOR.html?ref=ht

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App


 CLICK HERE TO DOWNLOAD






Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment